અંબાજી મંદિરમાં માતાજીના દર્શન માટે ઉમટ્યા ભક્તો, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી મંદિરમા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અંબાજી મંદિર દર્શન પથની લાઈનમાં યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી. કોરોના મહામારી છતાં ભક્તો ભાન ભૂલ્યા હતા. નાના નાના બાળકો સાથે યાત્રિકો મંદિર લાઈનમા જોવા મળ્યા હતા. અંબાજી મંદિર દર્શન પથની લાઈનમાં સરકારી નિયમોનું સત્યાનાશ જોવા મળ્યો હતો.