ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે પશ્ચિમ રેલવેને 200 કરોડથી વધુનું નુકસાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ: ચાલુ વર્ષે કોવિડના કારણે પશ્ચિમ રેલવે ને 200 કરોડ ઉપરાંતના નુક્શાનનું અનુમાન થયું છે. કોવિડના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે તહેવારના સમયે 43 લાખ જેટલા પ્રવાસીઓએ રિઝર્વેશન કરાવ્યું હતું. સ્પેશ્યલ અને દિવાળીના તહેવારને લઈ 80 ટ્રેનનુ સંચાલન. ચાલુ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન માત્ર 10 લાખ પ્રવાસીઓનું રિઝર્વેશન થયું છે. તહેવારના સમયમાં બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તમ ભારતના પ્રવાસીઓનું વધુ રીઝર્વેશન. ઉત્તર ભારતના પ્રવાસીઓ માટે 13 નવેમ્બરે સ્પેશ્યલ ટ્રેન દોડાવશે. પોરબંદર થી મુઝફરપુર સ્પેશ્યલ ટ્રેન દોડાવશે