અંબાજીમાં દર્શનાર્થીઓ માટે દર્શનનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો, જુઓ વીડિયો
બનાસકાંઠા: અંબાજી(Ambaji temple)માં દર્શનાર્થીઓ માટે દર્શનનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સવારના દર્શન સાડા સાત વાગ્યાથી લઈને પોણા બાર વાગ્યા સુધી થશે. દર્શનાર્થીઓ માટે મંદિર રાતના 11 વાગ્યા સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાંજના દર્શન સાતથી રાત્રે 11 વાગ્યા સુધી થઈ શકશે.