ગાંધીનગરઃ ધોરણ 1થી 8માં માસ પ્રમોશન અંગે શિક્ષણ વિભાગે શું કરી સ્પષ્ટતા ?

Continues below advertisement

ધોરણ એક થી આઠમાં માસ પ્રમોશન અંગે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ અંગે હાલમાં કોઇ વિચારણા નથી. છેલ્લા બે દિવસથી સમૂહ માધ્યમોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તેવા બિનપાયાદાર સમાચારો વહેતા થયા છે તે તદ્દન ખોટા છે એમ શિક્ષણ વિભાગે જણાવ્યું હતું. શિક્ષણ વિભાગે કહ્યું કે, ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા બાબત અંગેની કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી તેથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરવામાં આવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram