ગુજરાત માટે રાહતના સમાચાર છે, કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે, કોરોનામુક્ત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, ખેડૂતોને રાહત અપાઈ છે..........

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની સંખ્યા સ્થિર રહ્યા બાદ રવિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12978 નવા કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.  નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રવિવારે રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 152 લોકોનાં મૃત્યુ થયા હતા .  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7508  પર પહોંચી ગયો છે.  રાજ્યમાં વધુ 11146 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 440276  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola