ગુજરાત સરકારે બંધ કરી દીધો એ પોલીસનો R.R. સેલ શું કામગીરી કરતો હતો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jan 2021 07:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મુખ્યમંત્રી રૂપાણીએ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા રાજ્યમાંથી પોલીસ વિભાગનો આર આર સેલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સીએમ રૂપાણીની જાહેરાત મુજબ હવેથી રાજ્યમાં આર આર સેલ નહીં રહે અને જિલ્લા પોલીસ વડા એટલે કે એસપીને વધુ સત્તા અપાઇ છે.થોડા સમય પહેલા એસીબીએ 50 લાખની લાંચમાં આર આર સેલના કોસ્ટેબલની ધરપકડ કરતા આર આર સેલના કારણે ભ્રષ્ટાચાર વધ્યો હોવાનો મુદ્દે ચગ્યો હતો. તેના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું મનાઇ છે. રૂપાણીએ ટેકનોલોજીનો પ્રભાવ વધ્યો હોવાથી આર આર સેલ બંધ કરાયો હોવાનું કહ્યું છે પણ કોન્સ્ટેબલ લાંચ કેસ અંગે ટકોર કરતા કહ્યું કે, રક્ષક જ ભક્ષક બનશે તે નહી ચલાવી લેવાય. હવે એ સમજી લઇએ કે આર.આર સેલ શું છે અને તેની કામગીરી શું છે.