ઉત્તરાયણની ઉજવણીમાં આ વાત રાખજો ધ્યાનમાં, નહીંતર સોસાયટીના ચેરમેન-સેક્રેટરીને થશે સજા
ઉત્તરાયણના પર્વની ઉજવણી પરિવારના સભ્યો સાથે કરવાની છૂટ મળશે. નિયત મર્યાદા કરતા વધારે લોકો એક સાથે અગાસી પર નહીં કરી શકે ઉજવણી.અગાસી પર લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.ચાઈનીઝ તુક્કલ અને માંઝાનો ઉપયોગ નહીં કરી શકાય.14 જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્યુનો કડકાઈથી ચૂસ્તપણે અમલવારી કરાશે.પતંગ અને દોરીના બજારમાં ભીડ ન થાય તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે..જ્યારે અગાસી પર ભીડ ન થાય તેનું ધ્યાન રાખવાની સોસાયટીના પ્રમુખ અને મંત્રીની રહેશે. જે સોસાયટીની અગાસી પર ભીડ થશે ત્યાં પ્રમુખ-મંત્રી સામે પગલા લેવાશે...