હું તો બોલીશઃ શેતાન અબ્દુલ
ભરૂચના કાંકરિયા ગામમાં આમોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે 37 આદિવાસી પરિવારે ઇસ્લામ કબૂલ કર્યું. કોઇ પણ વ્યક્તિ પોતાનો ધર્મ બદલવા માગતો હોય તે બદલી શકે પરંતુ અહીં તો હિન્દુ આદિવાસીઓને લોભ લાલચ આપી ધર્મપરિવર્ત કરાયુ છે. કાયદા પ્રમાણે આ પ્રકારનું ધર્મપરિવર્તન ગેરકાદસર છે. ગામનો અજીત નામનો યુવક અઝીઝ અને પ્રવિણ સલમાન બની ગયો છે. પોલીસની તપાસ પ્રમાણે અહીં મસ્જીદ બનાવાની કાર્યવાહી શરુ થઇ ચુકી છે. આખુ રેકેટ આજ વિસ્તારનો વતની પણ લંડનમાં વસેલો હાજી ફેફડાવાલા ચલાવે છે. બ્રિટનમાં મજલિસ -અ- અલફતેહ નામનું ટ્રસ્ટ ચલાવે છે. ટ્રસ્ટના નામે ધર્મપરિવર્તનનું રેકેટ ચલાવતો હતો.