બનાસકાંઠામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પુત્ર જય સિંધવની હત્યા થઇ હોવાનો પિતાએ લગાવ્યો આરોપ
બનાસકાંઠામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (Dantiwada agricultural university)માં 8 માર્ચે હોસ્ટેલમાં જય સિંધવ નામના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત (Suicide) થયું હતું. જેને લઈ પરિવારે હત્યાની આશંકા જતાવી આ મામલામાં ન્યાયિક તપાસની માંગ કરી છે અને હોસ્ટેલ સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. મૃતક જય સિંધવના પિતા સુરેશભાઈનું કહેવું છે પીજી હોસ્ટેલમાં મારો દીકરો આત્મહત્યા કરે તેવું મને લાગતું નથી. એટલું જ નહીં હોસ્ટેલના રૂમ પાછળના ભાગનો દરવાજો ખુલ્લો હતો તેવો પણ આરોપ લગાવ્યો છેઅને હોસ્ટેલના રેક્ટર પર પણ ગંભીર આરોપ લગાવી સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ છે.