ગુજરાતના જાણીતા કથાકારને કોરોના થતા હાલત લથડી, વ્હીલચેરમાં લવાયા, જુઓ વીડિયો
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા નધી રહી છે. કોરોનાના સંક્રમણના કેસોમાં થતા વધારા વચ્ચે જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદા પણ કોરોનાનો ભોગ બન્યા છે. જીજ્ઞેશ દાદાની તબિયત કોરોનાના કારણે લથડતાં તેમના ચાહકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. હાલ સુરત ખાતે જીજ્ઞેશ દાદાની સારવાર કરાઈ રહી છે.
જીજ્ઞેશ દાદનું સ્વાસ્થ્ય સારું થાય અને તેમને કંઈ ના થાય એ માટે મહામૃત્યુંજય મંત્રના જપ પણ શરૂ કરવામાં આવ્યા હતા. સાવરકુંડલા અને આસપાસના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સાવરકુંડલા ખાતે જપ શરૂ કરાયા હતા.