Junagadh: ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ કરીને આવતીકાલે શિવરાત્રીની શરૂઆત
જૂનાગઢમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે પરંપરાગત રીતે મહાશિવરાત્રી મેળાની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે યોજાતા મહા શિવરાત્રીના મેળાને લઈ વિવિધ અખાડા અને અધિકારીઓની બેઠક પૂર્ણ થઈ. ભવનાથ મંદિરમાં આવતીકાલે ધ્વજારોહણ કરીને શિવરાત્રીની શરૂઆત થશે. અન્નક્ષેત્ર અને ઉતારાઓમાં મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવામાં આવશે.