સ્વર્ગસ્થ અહમદ પટેલની પિરામણના કબ્રસ્તાનમાં માતાની કબરની બાજુમાં કરાશે દફનવિધિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અંકલેશ્વરઃ અહમદ પટેલનો પાર્થિવદેહ એમ્બ્યુલન્સ મારફત તેમના વતન પિરામણ પહોંચી ગયો છે. તેમજ થોડીવારમાં તેમની દફનવિધિ કરવામાં આવશે. ભરૂચના પીરામણ સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે તેમની દફનવિધિ કરવામાં આવશે. તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના માતાની કબરની બાજુમાં દફનવિધિ થશે. અહેમદ પટેલની દફનવિધિમાં હાજરી આપવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સહિત અનેક મોટા નેતાઓ આવી પહોંચ્યા છે.