Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્ર

Continues below advertisement

રોજગારી માટે કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં લારી ગલ્લા ન હટાવવા સાંસદે માંગ કરી છે. સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી કે હાલ દબાણ હટાવવાની કામગીરી ન કરવામાં આવે જ્યાં સુધી રોજગારીની કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દબાણ ન હટાવા જોઈએ સાથે પત્રમાં ઉલ્લેખ કર્યો કે નેત્રંગ તાલુકા પંચાયત તરફથી લારીગલ્લા વાળાઓના દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે જે દબાણ હટાવવાની જરૂર ન હોવાનો સાંસદે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. રોજગાર માટે કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં લારી ગલ્લા ન હટાવવા સાંસદે માંગ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram