મનપાની ચૂંટણી પૂર્ણ થતા રાજ્યમાં કોરોનાએ ઉચક્યુ માથુ, નવા કેટલા કેસ નોંધાયા?
છ મનપાની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજ્યમા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 348 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં 69, સુરતમાં 61, વડોદરામાં 67, રાજકોટમાં 44, જામનગરમાં 8, ભાવનગરમાં 4, જૂનાગઢ 3 અને ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ છે 1 હજાર, 786.. જેમાના 35 દર્દીઓ વેંટિલેટર છે.