રાજ્યમાં કોઈ કર્ફ્યૂ કે લોકડાઉન ફરીથી લાગુ થવાનું નથી: CM રૂપાણી
ગાંધીનગર : રાજ્યમાં કર્ફ્યૂ કે લોકડાઉન ફરીથી લાગુ કરવા મુદ્દે સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કર્ફ્યૂ કે લોકડાઉન રાજ્યમાં ફરીથી લાગુ નહીં થાય. સમય પ્રમાણે સરકાર નિર્ણય કરશે. હાલ કોઈ દિવસે કરફ્યુ કે લોકડાઉન નહી આવે. વધુમાં વિજય રુપાણીએ કહ્યું કે, લોકો સાવચેતી રાખે તે જરૂરી છે. કોરોના વેક્સીને લઈને સીએમ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં હાલ ત્રીજા ટ્રાયલ માં રસી આવી છે. એક હજાર લોકો પર ટ્રાયલ કરવામાં આવશે. ભારત સરકાર જલ્દી વેક્સિન આવે તે માટે આયોજન કરી રહી છે.