PM Modi | બાંગ્લાદેશની સ્થિતિને લઈને વડાપ્રધાન મોદીએ આપ્યું મોટું નિવેદન | Abp Asmita
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં જે પણ થયું છે. પાડોશી દેશની ચિંતા થવી સ્વાભાવિક છે. ત્યાંની સ્થિતિ જલ્દી સુધરશે. ત્યાં હિંદુ લઘુમતી સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું, "પાડોશી દેશ તરીકે હું બાંગ્લાદેશમાં જે કંઈ પણ થયું છે તેનાથી સંબંધિત ચિંતાને સમજી શકું છું. મને આશા છે કે ત્યાંની સ્થિતિ વહેલી તકે સામાન્ય થઈ જશે. 140 કરોડ દેશવાસીઓની ચિંતા ત્યાંના હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષા કરવાની છે. ભારત હંમેશા ઇચ્છે છે કે આપણા પાડોશી દેશો સમૃદ્ધિ અને શાંતિના માર્ગ પર ચાલે. અમે શાંતિ માટે પ્રતિબદ્ધ છીએ.
પીએમ મોદીએ કહ્યું કે આવનારા દિવસોમાં અમે બાંગ્લાદેશને તેની 'વિકાસ યાત્રા' માટે શુભકામનાઓ આપતા રહીશું કારણ કે આપણે માનવતાના કલ્યાણ વિશે વિચારીએ છીએ.