રાજ્યમાં કોરોના દર્દીઓની સાજા થવાની સંખ્યા વધી
રાજ્યમાં કોરોના (corona) સંક્રમણથી સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બુધવારે 8 હજાર 595 દર્દીઓ સાજા થયા. અમદાવાદ (Ahmadabad) માં 2 હજાર 260 દર્દીઓ સંક્રમણ મુક્ત થયા. સુરત (surat) માં 1 હજાર 620, વડોદરા (vadodara) માં 326 અને રાજકોટ (rajkot) માં 692 દર્દીઓ સવસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં રિકવરી રેટ (recovery rate) 74.01 ટકા પર પહોંચ્યો છે.