સુવર્ણજડિત થશે સોમનાથ મંદિર, 1500 કળશ કરાશે સુવર્ણજડિત
Continues below advertisement
સોમનાથ મંદિર ઉપર ટ્રસ્ટ દ્વારા સુવર્ણ કળશ પ્રાયોજના શરૂ કરવામાં આવી છે. દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરને સુવર્ણ જડિત કરવાનું કામ ચાલી રહ્યું છે. પ્રથમ 130 કિલો સોના માંથી સોમનાથ મહાદેવ નું ગર્ભ ગૃહ ત્રિશુલ દરવાજા અને પીલોર સહિત ને સુવર્ણ જડિત કરાયા બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1500 જેટલા મંદિર પર ના કળશને સુવર્ણ જડિત કરવાની જાહેરાત કરાઈ છે અને શ્રદ્ધાળુઓને દાન આપવા હાકલ કરાય હતી. શ્રદ્ધાળુઓ દ્વારા 400 જેટલા કળસ ને સુવર્ણ જડિત કરવા દાન અપાયુ છે.
Continues below advertisement