ખેડૂતોના આંદોલનને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજનું પણ સમર્થન, જાણો ક્યારે દિલ્હી તરફ કરશે પ્રયાણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Dec 2020 01:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પંજાબ અને હરિયાણા બાદ ગુજરાતના ખેડૂતોએ પણ દિલ્હી ચલો અભિયાન ઉપાડ્યું છે. આગામી 12 ડિસેમ્બરે ગુજરાતના ખેડૂતો દિલ્હી તરફ પ્રયાણ કરશે. રાજ્યના કુલ 23 જેટલા સંગઠનોએ ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવી છે. આ ખેડૂતો 8 ડિસેમ્બરે અપાયેલા ભારત બંધના એલાનમાં જોડાશે. જિલ્લા અને તાલુકા કક્ષાએ વિરોધ પ્રદર્શન કરશે અને 12 ડિસેમ્બરે દિલ્હી તરફ જશે. આ માટે આવતીકાલે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ રણનીતિ ઘડશે.