રાજ્યની સરકારી કચેરીઓ 15 મે સુધી શનિવાર-રવિવારે રહેશે બંધ
કોરોના મહામારીને લઈ સરકારી કર્મચારીઓ માટે સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની સરકારી કચેરીઓમાં 15 મી મે સુધી ૫૦ ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે. રાજ્યની સરકારી કચેરીઓ 15 મે સુધી શનિવાર-રવિવારે બંધ રહેશે. રાજ્યની સરકારી કચેરીઓમાં કોરોનાનું સંક્મણ વધુ ફેલાય નહીં અને અધિકારી કર્મચારીઓ સંક્રમિત ન થાય તેવા આશયથી આ નિર્ણય લેવાયો છે.