સુરેન્દ્રનગરઃ દેવપરા અને બળોલ ગામ વચ્ચેની નર્મદા કેનાલમાં ગાબડુ, ખેડૂતોના ઉભા પાકને નુકસાન
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના દેવપરા અને બળોલ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે પાકને નુકસાન પહોંચ્યું હતું. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.