Tapi: ઉચ્છલના નેશનલ પોલટ્રી ફાર્મમાં મરઘાનો બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ, અંદાજે 17 હજાર પક્ષીઓના કરાશે નાશ
તાપીના ઉચ્છલ ખાતે બર્ડ ફલૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉચ્છલના નેશનલ પોલટ્રી ફાર્મ ખાતે મરઘાંનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બર્ડફ્લૂના ખતરાને પગલે અંદાજે 17 હજાર જેટલા પક્ષીઓનો નાશ કરવામાં આવશે. જિલ્લા બહારથી ટિમ આવશે ત્યાર બાદ કામગીરી હાથ ધરવામાં આવશે.