દાહોદના નાનીડોકી ગામે રીક્ષા કોતરડામાં ખાબકી, ત્રણ બાળકોના મોત
દાહોદના નાનીડોકી ગામે રીક્ષા કોતરડામાં ખાબકતા ત્રણ બાળકોના મોત થયા હતા. રીક્ષામાં સવાર અન્ય ત્રણ મહિલાઓનો બચાવ થયો હતો. નાનીડોકી સૂકી તળાવના 30 ફૂટ ઉંડા કોતરડામાં રીક્ષા ખાબકી હતી. મહિલાની પ્રસૃતિ બાદ ઘરે આવતા સમયે આ દુર્ઘટના બની હતી. ઘટના બાદ ફાયર અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા