વલસાડમાં વેક્સિનેશનની કામગીરી પડી ધીમી, વેપારીઓને વેક્સિન લેવામાં પડી રહી છે સમસ્યા
વલસાડમાં પણ વેક્સિનેશન કામગીરી ધીમી પડતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. એક બાજુ વેપારીઓ માટે 30 જૂન સુધીમાં કોરોનાની વેક્સિન ફરજિયાત લેવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. એવામાં આજે વલસાડમાં મોટાભાગના વેક્સિનેશન સેન્ટર બંધ રહ્યા. જેનું કારણ હતું કોવિશિલ્ડ વેકસીનનો અપૂરતો જથ્થો. ત્યારે સવાલ એ છે કે વેપારીઓ માટે વેક્સિન લેવાની અંતિમ તારીખ 30 જૂન છે.