TRP Game Zone Fire| રાજકોટ અગ્નિકાંડમાં 24 કલાકની પૂછપરછ બાદ 4 અધિકારીની ધરપકડ

Continues below advertisement

હૃદયને વલોવી દેનાર રાજકોટ ટીઆરપી  ગેમ ઝોન આગની (TRP GameZone Fire) ધટનાના પગલે હવે તંત્ર સફાળું જાગ્યું છે. સત્તાવાર રીતે સામે આવેલા આંકડા મુજબ ભીષણ આગમાં 27 લોકો જીવતા સળગ્યાની આ ઘટના બાદ જવાબદાર સામે પગલા લેવા એસઆઇટીએ તપાસ શરૂ કરી છે. 24 કલાકની પૂછપરછ બાદ 4 અધિકારીને ધરપકડ કરવામાં આવી છે. ટીપીઓ મનસુખ સાગઠીયા, એટીપી મુકેશ મકવાણા,એટીપી ગૌતમ જોષી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ થઇ છે.  24 કલાકની પૂછપરછ બાદ ચારેય બેદરકાર અધિકારીઓની ક્રાઈમબ્રાન્ચે જેલ હવાલે કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ બાદ 4 અધિકારીઓની ધરપકડ કરી છે. ટીઆરપી ગેમ ઝોનની બેદરકારી રજૂ કરતા કેટલાક દ્રશ્યો સામે આવ્યાં છે. આ ઘટનાના 4થી5 દિવસ પહેલાનો એક વીડિયો સામે વીડિયો સામે આવ્યો છે. વીડિયામાં સ્પષ્ટ જોઇ શકાય છે કે,આગ લગાડવા માટે જરૂરી બધી જ વસ્તુઓ ત્યાં હતી. વેલ્ડિગના કામ સાથે અહીં જ્વલંતશીલ પદાર્થના કેરબા પણ જોવા મળે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram