કોરોનાનું સંકમણ અટકાવવા આજથી બે દિવસ માટે પ્રાંતિજ શહેર સ્વયંભૂ બંધ

પ્રાંતિજઃ કોરોનાનાં વધતા સંક્રમણને અટકાવવા માટે આજથી બે દિવસ માટે પ્રાંતિજ શહેર સ્વયંભુ બંધ રહેશે. વેપારી એસોસિએશન અને પાલિકા સાથે બેઠક બાદ ગઈ કાલે બંધનો નિર્ણય લેવાયો હતો. આજથી બે દિવસ માટે તમામ ધંધા રોજગાર બંધ રહેશે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રહેશે. રવિવાર અને સોમવારે પ્રાંતિજ બજાર બંધ રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola