Navsari: જલાલપોરમાં ગણપતિની પ્રતિમા લાવતા સમયે દુર્ઘટના, 2નાં મોત, 5 ઈજાગ્રસ્ત

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગણપતિ મહોત્સવને પગલે મૂર્તિ લઈને આવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. કરાડી ગામમાં ગણપતિની મૂર્તિ લઈને આવતી વખતે હાઈટેન્શન લાઈન સાથે લોખંડની પાઇપ અડી જતાં બે લોકોના મોત પાંચ લોકો ગંભીર રીતે દાઝી જતા ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા.  આ દુર્ઘટનામાં પ્રિતેશ પટેલ અને મિતુલ પટેલનું મોત નિપજ્યું છે. જ્યારે કેયુર પટેલ, નિશાંત પટેલ, વિજય પટેલ, કરીશ પટેલ અને નિલેશ પટેલને ગંભીર ઈજાઓ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જલાલપોર પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. નવસારી જિલ્લામાં 9 ફૂટથી ઊંચી ગણપતિની પ્રતિમા ન લાવવાનો પ્રતિબંધ હોવા છતાં શહેર અને જિલ્લામાં મોટી મૂર્તિઓ જોવા મળી રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola