'વડોદરા ભાજપવાળા ક્યારે તમે સુધરશો ? મહેરબાની કરીને આ રાજનીતિ બંધ કરો, ગુજરાતની સ્થિતિ ખરાબ છે'
સુરતમાં ભાજપ કાર્યાલય પર રેમડેસિવિરનું વિતરણ કરાયું હતું. જરૂરીયાતવાળા દર્દીને રેમડેસિવિર ઈન્જેકશન આપવામાં આવ્યા હતા. ટોકન વ્યવસ્થા કરીને લોકોને લાઈનમાં બેસાડીને વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે સી.આર. પાટીલ ઉપરાંત રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી પણ હાજર રહ્યા હતા. કોગ્રેસે આ અંગે સવાલો ઉઠાવ્યા હતા.