ગુજરાતમાં ક્યારથી આવી જશે કોરોનાની વેક્સિન? નીતિન પટેલે શું આપ્યું નિવેદન?
નીતિન પટેલે કોરોનાની રસી મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે, બધા ભારતીયોને આનંદ થાય એવા સમાચાર આવી રહ્યા છે. માન્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ રાષ્ટ્રીય કક્ષાએ વેક્સિન આપવા માટે, દરેક નાગરિકોને વેક્સિન આપવા માટે જે તૈયારીઓ કરવાની છે, એ તૈયારી ભારત સરકાર દ્વારા ખૂબ ઉચ્ચ કક્ષાએ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, મંગળવારે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વેક્સિન અંગેની કાર્યવાહી કેવી રીતે કરવી? એનું વિતરણ કેવી રીતે કરવું ? એની ચેઇન કેવી રીતે ગોઠવવી ? વેક્સિન આવે તો એને કેવી રીતે સાચવવી ? એ બધી જ વ્યવસ્થા માટે માન્ય વડાપ્રધાનશ્રી આ બાબતે મંગળવારે દેશના બધા જ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ પણ રાખી છે. એટલે ભારત સરકાર ખૂબ જ સતર્ક છે.