'BJPના એક પણ કાર્યકરને કોરોના નથી થયો', ભાજપના ક્યા ધારાસભ્યએ કર્યો દાવો?
રાજકોટના ભાજપના ધારાસભ્યએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ધારાસભ્ય ગોવિંદ પટેલને ચૂંટણીના લીધે કોરોના ફેલાવવાના મામલે સવાલ કરવામાં આવ્યો ત્યારે કહ્યું કે, જે લોકો મહેનત અને મજૂરી કરે છે તેમને કોરોના નથી થતો. ભાજપના કાર્યકર્તાએ મહેનત અને મજૂરી કરી છે. એકપણ કાર્યકર્તા આનાથી સંક્રમિત થયો નથી. બેદરકારીના કારણે મહામારીનો રોગ વકર્યો છે.