પ્રથમ ધોરણમાં ક્યા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે? તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખી કરાઇ જાણ
રાજ્યમાં ચાલુ વર્ષે પાંચ વર્ષ પૂર્ણ કરેલા હશે તેવા વિધાર્થીઓને પહેલા ધોરણમાં પ્રવેશ મળશે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખી જાણકારી અપાઈ હતી. શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 માં એક જૂન પાંચ વર્ષ પૂર્ણ કર્યા હશે તેમને પ્રવેશ અપાશે