નવા કૃષિ કાયદાથી દરેક ક્ષેત્રે રોકાણ વધશેઃPM મોદી
વડાપ્રધાન મોદીએ ફિક્કીની 93મી વાર્ષિક સભામાં સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેમણે કહ્યું, આપણે 20-20 મેચમાં ખૂબ ઝડપથી બદલાતું જોયું છે પરંતું 2020ના વર્ષે બધાને પાછળ રાખ્યા છે. તેમણે કહ્યું આજે ભારતનું કૃષિક્ષેત્ર પહેલાં કરતાં વધુ ગતિશીલ છે. આજે ખેડૂતો પાસે પણ મંડીઓની બહાર વેચવાનો વિકલ્પ છે. તેઓ ડિજિટલ માધ્યમ પર પણ ખરીદી અને વેચાણ કરી શકે છે. કૃષિક્ષેત્રમાં થયેલા સુધારાનો સૌથી વધુ લાભ ખેડૂતોને થશે