કેન્દ્ર સરકારે વધુ એક રાહત પેકેજ જાહેર કર્યું, આરોગ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત
કોરોનાકાળમાં કેન્દ્ર સરકારે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેમણે પત્રકાર પરિષદમાં કોરોના પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ રૂપિયાની લોન ગેરન્ટી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત આરોગ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયાની લોન ગેરન્ટ અપાશે. જ્યારે 60 હજાર કરોડ રૂપિયા અન્ય સેક્ટરોને અપાઇ રહ્યા છે.