Cheteshwar Pujara: જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ| Abp Asmita

Continues below advertisement

ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરૂદ્ધ દુષ્કર્મનો આરોપ કરવામાં આવી રહ્યો છે. રાજકોટની યુવતીનો દાવો છે કે, ચેતેશ્વર પુજારાના સાળાએ પહેલાં મારી સાથે સગાઈ કરી અને સગાઈ બાદ અનેકવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતાં. બાદમાં કારણ વિના સગાઈ તોડી દીધી અને હવે જ્યારે હું ફરિયાદ નોંધાવા જવ છું તો આરોપી પોલીસ ક્રિકેટર પુજારાના સાળા હોવાના કારણે પોલીસ મારી ફરિયાદ લેતી નથી. આ સિવાય ચેતેશ્વર પુજારા પણ ફરિયાદ લખાવવાની બાબતે મને ધમકીઓ આપે છે. 

શું છે સમગ્ર મામલો? 

યુવતીનો દાવો છે કે, મારી સાથે ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સાથે સગાઈ કરાવવામાં આવી હતી. દોઢ વર્ષથી લગ્ન માટે ચેતેશ્વર પૂજારા માટે રાહ જોવાનું કહી રહ્યા હતાં. જીત પાબારી મારા સંપર્કમાં 23 જૂન 2014ના દિવસે આવ્યો હતો. 2021માં અમારા ગોળધાણા થયા હતાં અને 2022માં અમારી સગાઈ થઈ હતી, 2023માં લગ્નની વાત થઈ ગઈ હતી. તેમ છતાં ગત 13 નવેમ્બરે તારીખે તણે કોઈ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે. પીડિતાએ આરોપ લગાવતા કહ્યું કે, જીત પાબારીએ મને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે અને સગાઈ બાદ મને માર પણ માર્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram