કોરોનાના દર્દીને પહેલા દિવસથી જ આ દવા આપવાથી થઇ શકે છે નિમોનિયા, જાણો શું કહે છે એક્સપર્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 May 2021 03:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડોક્ટર ગુલેરિયાએ કોરોના સંબંધિત કેટલાક સવાલ જવાબ આપતા કહ્યું કે, કોરોનાના ઇલાજમાં પહેલા દિવસથી સ્ટીરોઇડ ન આપવી જોઇએ, જેમને હળવા લક્ષણો છે, તેને કોઇ દવાની જરૂર નથી. Ivermectin(આઇવરમેક્ટીન) અથવા hydroxychloroquine (હાઇડ્રોક્સીક્લોરોક્વીન) લઇ શકાય.પ્રાથમિક સ્ટેજમાં સ્ટીરોઇડ નુકસાન કરે છે.સ્ટીરોઇડનો મોડરેટ સ્થિતિ માટે જ ઉપયોગ કરવો જોઇએ.ઓક્સિજન લેવલ નોર્મલ હોય અને ટેમ્પરેચર નોર્મલ હોય,કોઇ લક્ષણો ન હોય, આ સ્થિતિમાં સ્ટીરોઇડ કંઇ કામ નથી કરતી.આ સ્ટેજમાં સ્ટીરોઇડ નુકસાનકારક સાબિત થાય છે.આ 1થી4 દિવસની અંદર સ્ટીરોઇડ વાયરસની રીપ્લિકેશનને વધારે છે. શરૂઆતના સ્ટેજમાં સ્ટીરોઇડ આપવાથી દર્દીને સિવિયર નિમોનિયા થઇ શકે છે