Parliament Winter Session 2024: ભારત-ચીન સબંધોની સ્થિતી પર સંસદમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે આપ્યો જવાબ

 વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત-ચીન સરહદી વિસ્તારોમાં તાજેતરના ઘટનાક્રમ વિશે લોકસભાને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ચીનના આક્રમક વલણને કારણે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દ ભંગ થઇ ગયું છે. આ કારણે વર્ષ 2020થી અમારા સંબંધો સારા રહ્યા નથી. તાજેતરના સમયમાં અમારા સંબંધો સુધર્યા છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, "1962ના યુદ્ધ અને અગાઉની ઘટનાઓના પરિણામે ચીને અક્સાઈ ચીનમાં 38,000 ચોરસ કિલોમીટરના ભારતીય વિસ્તાર પર ગેરકાયદેસર કબજો કર્યો છે. આ સિવાય પાકિસ્તાને 1963માં ગેરકાયદેસર રીતે ભારતીય વિસ્તાર ચીનને સોંપી દીધો હતો." ભારત અને ચીને સરહદ મુદ્દાને ઉકેલવા માટે ઘણા દાયકાઓથી વાટાઘાટો કરી છે, જ્યારે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સાથેના કેટલાક વિસ્તારોમાં સમાન સમજણ નથી. અમે સરહદી સમાધાન માટે વાજબી અને પરસ્પર સ્વીકાર્ય માળખા સુધી પહોંચવા માટે દ્વિપક્ષીય ચર્ચા દ્વારા ચીન સાથે જોડાવા માટે પ્રતિબદ્ધ છીએ."

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola