Kangana Ranaut | અયોધ્યા પહોંચેલી એક્ટ્રેસ કંગનાએ મંદિરમાં સફાઇ બાદ શું આપી પ્રતિક્રિયા?

Kangana Ranaut |  બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આજે અયોધ્યા પહોંચી છે, આવતીકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેમાં હાજરી આપવા કંગના રનૌત આજથી અયોધ્યામાં છે. તે 22 જાન્યુઆરીએ રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે, પરંતુ તે પહેલા પણ તે રામની ભક્તિમાં તલ્લીન જોવા મળી હતી. તેમણે હનુમાન ગઢીની મુલાકાત લીધી અને ત્યાં તેને ઝાડું ફેરવ્યુ, કચરો વાળ્યો હતો અને બાદમાં મંદિરમાં હવન પણ કર્યુ હતુ. તેણે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે, જેનું કેપ્શન લખ્યું છે - 'આવો રામ આવો.'

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola