Nitish Kumar Resignation: નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું

Continues below advertisement

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોનું માનીએ તો સોમવાર, 30 માર્ચની સવારના 10.00 વાગ્યાની આસપાસ સીએમ નીતીશ કુમારે બિહાર વિધાન પરિષદના સભાપતિ અવધેશ નારાયણ સિંહને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આગામી 13 એપ્રિલ પછી તેઓ મુખ્યમંત્રી પદ છોડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીતીશ કુમાર જે અત્યાર સુધી બિહાર વિધાન પરિષદના સભ્ય હતા, તેમણે 16 માર્ચના રોજ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. નિયમો મુજબ, નીતીશ કુમારે સંસદ માટે ચૂંટાયાના 14 દિવસની અંદર રાજ્ય વિધાનમંડળમાંથી રાજીનામું આપવાનું હતું. હવે સીએમ નીતીશ કુમારના રાજીનામાની સત્તાવાર જાહેરાત થોડી વારમાં કરવામાં આવશે.

નીતીશ કુમારે આપ્યું રાજીનામું

નીતીશ કુમારે રાજ્યસભાના સાંસદ બન્યા બાદ MLC પદેથી રાજીનામું આપી દીધું છે. આ પગલાથી હવે તેમના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. તેઓ ગમે ત્યારે મુખ્યમંત્રી પદ પરથી પણ રાજીનામું આપી શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola