સંવિધાન દિવસ પર PM મોદીએ કહ્યું- ભારત હવે આતંકને જડબાતોડ જવાબ આપી રહ્યું છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબંધારણ દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સને સંબોધિત કરી હતી. નર્મદાના કેવડિયામાં યોજાઈ રહેલી આ ઈવેન્ટમાં પીએમ મોદીએ વિડિયો કોન્ફરન્સ સંબોધન કર્યું હતું. મુંબઈ હુમલાને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું- હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું. પીએમ મોદીએ કહ્યું, નવું ભારત નવી રીતિ-નીતિ સાથે આતંકવાદનો મુકાબલો કરી રહ્યું છે. આતંકને જડબાતોડ જવાબ આપનારાં આપણાં સુરક્ષાદળોને પણ વંદન કરું છું. આ ઉપરાંત પીએમ મોદીએ વન નેશન-વન ઈલેક્શનની જરૂરિયાત અંગે પણ ભાર આપ્યો હતો.