Uttarakhand glacier burst: ચમોલીમાં અત્યાર સુધીમાં 32ના મોત, હજુ 174 લોકો લાપતા
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 174 લોકોની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ જોશીમઠ તપોવન ટનલમાં હજુ લગભગ 35 લોકો ફસાયા હોવાની આશંકા છે. જેના કારણે ટનલની અંદર ભારતીય સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને આઈટીબીપીનું સંયુક્ત રેસ્ક્યૂ ઑપરેશન ચાલી રહ્યુ છે.