બાયોમાર્કર શું છે અને કોરોનામાં ક્યારે કરાવવું જોઇએ?
કોરોનાના ઇલાજ સાથે જોડાયેલા સવાલ જવાબ આપતાં ડો. રણદીપ ગુલેરિયાએ કેટલાંક મુદ્દે સ્પષટતા કરી હતી. તેમણે કહ્યું કે, કોવિડ પોઝિટિવ હોય તો મોટાભાગના દર્દી બ્લડ ટેસ્ટ કરાવી રહ્યાં છે.CBC ટેસ્ટ, CRP ટેસ્ટ, મોટા ભાગના દર્દી કરાવી રહ્યાં છે.જો આપને હળવા લક્ષણો છે, આપનું ઓક્સિજન લેવલ યોગ્ય છે. તાવ વધુ ન હોય, આ સ્થિતિમાં બાયોમાર્કર કરાવવાનો કોઇ અર્થ નથી.દાંતના ઇન્ફેકશનમાં પણ બાયોમાર્કર વધે છે.CRP વધી ગયું અને જાતે સ્ટીરોઇડ ચાલું કરી દેવાથી વધુ નુકસાન થાય છે.હળવા લક્ષણોમાં બાયોમાર્કર કે સીટી સ્કેનની કોઇ જરૂર નથી.ઓવર ટ્રીટમેન્ટ નુકસાનકારક સાબિત થઇ શકે છે.