જામનગરના આ શહેરમાં આજથી ચાર દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, જુઓ વીડિયો

જામજોધપુરમાં વધતા કોરોના કેસને ધ્યાને રાખી આજથી સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. આજથી ચાર દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે જેમાં મેડિકલ ઈમરજંસી સિવાય તમામ વેપાર ધંધા બંધ રહેશે. સવારથી જ શહેરની મુખ્ય બજારો અને લારી ગલ્લા સહિતના તમામ દુકાનો સજ્જડ બંધ રહી. મીની બસ સ્ટેન્ડ વિસ્તાર, ગાંધી ચોક, બાલમંદિર રોડ, સાંકડી બજાર સહિતના શહેરના તમામ વિસ્તારો બંધમાં જોડાયા છે. 21 એપ્રીલથી સવારના આઠથી બપોરના બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવશે જેનો અમલ 30મી એપ્રીલ સુધી કરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola