ભાજપના સાંસદની ધમકી- 'BJP કાર્યકર્તાને રેલી કરતા રોક્યા તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઇશ'
ભરૂચમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું. ભાજપના કાર્યકર્તાને રેલી કરતા રોક્યા તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ એમ કહી ચેતવણી આપી હતી. વાલિયાની સભામાં આપેલા વિવાદિત નિવેદનનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે.