Bharuch: Mansukh Vasava: ખનન માફિયાઓના ત્રાસને લઈને MPએ કરી પોસ્ટ, ખનીજ વિભાગે શું આપ્યો જવાબ?
ભરુચના ઉમલ્લા નજીક રેતી ભરેલા ડમ્પરની ટક્કરે સુમિત નામના ટીઆરબી જવાનનું મોત થયું છે.. આ અંગે ભરુચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ખનન માફિયાઓ માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે..
ભરૂૂચમાં ગેરકાયદેસર રેતી ખનન અંગે સાંસદ મનસુખ વસાવા લાલધૂમ થયા છે.સાંસદ મનસુખ વસાવાએ સોશયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.તેમને જણાવ્યુ કે વહીવહી તંત્ર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હપ્તો લે છે.અધિકારીઓને માફિયાઓ લાખો રૂૂપિયાનો હપ્તો આપે છે.તેમના દ્વારા અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી આખુ નેટવર્ક ચાલતું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.આ સાથે જ મનસુખ વસાવા દ્વારા ઈખને પત્ર લખી રાજ્ય લેવલની ટીમ બનાવવા માંગ કરી છે.
તેમણે પોસ્ટમાં લખ્યુ છે કે, શુક્લતીર્થ ગામે ચાર લોકોના ડુબી જવાની ઘટનાને પગલે જિલ્લા સંકલનની મિટિંગમાં તે મુદ્દો ઉડાવી તેની ખાસ ચર્ચા કરી ગેરકાયદે ચાલતી આ પ્રવૃત્તિ બંધ કરાવા જણાવ્યું હતું
Bharuch | Mansukh Vasava |