ભાજપ સરકારમાં વિકાસ કાર્યોથી આકર્ષાઇને કોગ્રેસના ધારાસભ્યો આવ્યાઃ CM રૂપાણી
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું ભાજપ સરકારમાં વિકાસ કાર્યોથી આકર્ષાઇને કોગ્રેસના ધારાસભ્યો આવ્યા. શાસક પક્ષના ધારાસભ્ય હોય તો કામો સરળ બને એટલે કોગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા. ધારાસભ્યોના પક્ષપલટા મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કોગ્રેસ પાસે મુદ્દાઓ નથી એટલે એ પક્ષ પલટાની વાતો કરે છે. રૂપાણીએ કહ્યું કે, ભાજપે ટીકિટનું વચન આપ્યાની વાત તદ્દન જૂઠી છે. કોગ્રેસની લાલચમાં અમારા એક પણ ધારાસભ્ય આવ્યા નહીં. પેટાચૂંટણીમાં વિકાસના આધારે જનતા ભાજપને મત આપશે. દારૂના નિવેદન પર મુખ્યમંત્રીએ કહ્યું કે મારુ નિવેદન ટ્વિસ્ટ કરીને દર્શાવાયું છે.