જયેશ રાદડિયાએ કોગ્રેસના આરોપોને ફગાવ્યા, કહ્યુ- ઘટને પુરતી કરવા માટેનો પુરવઠા વિભાગનો હતો પરિપત્ર
તુવેરની ખરીદીને લઇને ગુજરાત વિધાનસભામાં હોબાળો થયો હતો. તુવેરમાં કાંઇક કાળુ હોવાના કોગ્રેસના ધારાસભ્યોએ નારા લગાવ્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર ખરીદે છે તેના કરતા વધારે રકમ કેમ લે છે. પરેશ ધાનાણીએ કહ્યું કે, તુવેરની ખરીદી અને વેચાણમાં આટલા બધા ભાવમાં ફેર કેમ છે. કોણ મલાઇ ખાય છે.કેબિનેટમંત્રી જયેશ રાદડિયાએ કોગ્રેસના આરોપોને ફગાવ્યા હતા. રાદડિયાએ કહ્યું કે, ઘટને પુરતી કરવા માટેનો પુરવઠા વિભાગનો પરિપત્ર હતો.