2022ની ચૂંટણી લડશો કે નહીં? મનસુખ વસાવાએ ગોળ ગોળ આપ્યા જવાબ

ભાજપમાંથી રાજીનામું આપી દેનારા ભરૂચના સાંસદ મનસુખ વસાવા વહેલી સવારે મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા. રાજીનામા બાદ મોડી રાત સુધી વસાવાના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. મુખ્યમંત્રી સાથે મુલાકાત પહેલા સાંસદ મનસુખ વસાવા સર્કિટ હાઉસ કે વનમંત્રી ગણપત વસાવાના નિવાસસ્થાને ચર્ચા કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યું છે. પાર્ટી કે સરકાર સાથે કોઈ મતભેદ નથી. ગણપત વસાવા અને મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત પછી તેઓ વિગતવાર વાત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત પહેલા તેઓ વનમંત્રી ગણપત વસાવા સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે. જોકે, તેમને 2022ની વિધાનસભાની ચૂંટણી લડવા અંગે પૂછવામાં આવતા ગોળ ગોળ જવાબો આપ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola