Rajkot Heart Attack : રાજકોટમાં 11 વર્ષીય બાળકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમ

Rajkot Heart Attack : રાજકોટમાં 11 વર્ષીય બાળકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમ 

રાજકોટમાં હાર્ટ અટેકના કારણે 11 વર્ષીય સગીરનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં 11 વર્ષના સગીરનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. 11 વર્ષીય સગીર ઘર નજીક રમી રહ્યો હતો ત્યારે અચાનક હાર્ટ અટેક આવ્યો હતો જેના કારણે તે ઢળી પડ્યો હતો. દેવરાજ કારેલિયાન નામના સગીરને સારવાર મળે તે અગાઉ જ તેનું મોત થયું હતું.

હૃદયરોગથી બચવા માટે શું ખાવું શું ન ખાવું?
અમેરિકન હાર્ટ અસોશિએશને લોકોને હૃદય રોગથી બચવા માટે આહાર અને જીવનશૈલીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો છે. શોધકર્તાએ જણાવ્યું કે, હૃદય રોગોના જોખમને ઓછું કરવા માટે વિભિન્ન પ્રકારના ફળો અને શાકભાજી,સાબુત અનાજ, કમ વસા વાળા ડેરી પ્રોડક્ટ,  નોન ટ્રોપિકલ વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો જોઇએ. તો બીજી તરફ સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ, સોડિયમ, લાલ માંસ,  મિઠાઇ અને શુગર ડ્રિન્ક જેવી ચીજોનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે. અધ્યયનના પ્રમુખ લેખક ડો યૂની ચોઇ કહે છે કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે જેટલું શક્ય હોય પ્રાકૃતિક ચીજોનું સેવન કરવું જોઇએ.  પ્રોસેસ્ડ ચીજોની માત્રા ઓછું કરવી ઉત્તમ રહે છે.                                                                                                                                                     

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola