રાજકોટમાં આજે ખોડલધામની બેઠક મળશે, બેઠકમાં નરેશ પટેલના રાજનીતિમાં પ્રવેશને લઇને થઇ શકે છે ચર્ચાં
રાજકોટ માં આજે ખોડલધામ ની બેઠક યોજાશે. સરદાર પટેલ ભવન માં આજે બપોરે ત્રણ વાગ્યે મળશે બેઠક યોજાશે. આ બેઠક ને આમ તો રૂટિન ગણાવાઈ રહી છે પરંતુ નરેશ પટેલ ના રાજકીય પ્રવેશ ને લઇ ને આ બેઠક માં ચર્ચા ની શક્યતા જોવાઇ રહી છે. કાગવડ ખોડલધામ ટ્રસ્ટ ની બેઠક મળે તે પૂર્વે આજની બેઠક પર મીટ મંડાઇ છે. નરેશ પટેલ ના રાજકીય પ્રવેશ મુદે પોલિટિકલ સમિતિ નૉ સર્વે પણ આ બેઠક માં રજુ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.