Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો
abp asmita
Updated at:
12 Sep 2024 10:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મવડી મેઈન રોડ પર નવલનગરમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે જમીન-મકાનની ઓફિસ ધરાવતા જસ્મીનભાઈ માઢકની ફરિયાદ પરથી પોલીસે વિજય પ્રકાશ ઉર્ફે પીપી સ્વામી, જયકૃષ્ણ સ્વામી, માધવપ્રિય સ્વામી, દેવપ્રકાશ સ્વામી, લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ધોરી, ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ, વિજયસિંહ આલુસિંહ ચૌહાણ સહિત સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
દરમિયાન સુરત પોલીસે લાલજી ઢોલાની ધરપકડ કરતાં રાજકોટ પોલીસે તેની પાસેથી કબજો મેળવી તેની ધરપકડ કરી તેને ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી કરી હતી. ગુનામાં આરોપીને ઝડપવા માટે DCP પાર્થરાજસિંહ ગોહિલ માર્ગદર્શન હેઠળ ACP ભરત બસીયાના રાહબરી હેઠળ રાજકોટ પોલીસે વધુ બે શખ્સ ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણને ગોવાથી ઉઠાવી લીધા હતા.